Cyclone Shakti Alert : આ તારીખે ત્રાટકશે વાવાઝોડું ‘શક્તિ’? આ જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર.

By Jay Vatukiya

Published on:

Cyclone Shakti
WhatsApp Group Join Now
Telegram Group Join Now

આગામી દિવસોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો પાસેથી મળેલી વિગતો અનુસાર, 21 મે, 2025 થી રાજ્યમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. આગામી છ થી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે.

આ વાવાઝોડાની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ દેખાશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ૧૯ અને ૨૦ મે દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ ૨૧ મેથી વરસાદમાં વધારો થવાની શક્યતા છે. ૨૨ થી ૨૪ મે દરમિયાન અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૪ મેના રોજ રાજ્યભરમાં સામાન્ય થી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.

માછીમારોએ સાવચેત રહેવું

અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગમાં ચક્રવાતી પરિભ્રમણ (તોફાન સિસ્ટમ) સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક કિનારા સુધી અસરકારક બની શકે છે. જેના કારણે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 21 મે પછી હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘શક્તિ’ બનવાની શક્યતા છે. આ વાવાઝોડું મુંબઈ અને ગોવાના દરિયાકાંઠા વચ્ચે બની શકે છે અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 25 થી 31 મે દરમિયાન ગ્રહોની ગોઠવણીને કારણે, રાજ્યમાં હવામાન પ્રણાલી વધુ સક્રિય થશે, જે પૂર જેવી પરિસ્થિતિ લાવી શકે છે. 5 થી 6 જૂન દરમિયાન અણધાર્યો વરસાદ પણ પડી શકે છે.

કયા જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે?

ભારે વરસાદની આગાહી (૨૨-૨૪ મે): અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી

સામાન્ય વરસાદ (૨૪ મે): રાજ્યભરમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ

વાવાઝોડાની સીધી અસર: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત

સાવચેતી સૂચનો: દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવાની સલાહ આપવામાં આવી છે

આગામી એક અઠવાડિયા સુધી રાજ્ય ભારે વરસાદ અને વાવાઝોડાના ભય હેઠળ રહેશે. સરકાર અને હવામાન વિભાગ સતત દેખરેખ રાખી રહ્યા છે. નાગરિકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ જુઓ : Gujarat Monsoon 2025 : ગુજરાતમાં આ તારીખોમાં થઈ શકે છે વાવણીલાયક વરસાદ, જાણો કઈ તારીખે કરી વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment