Ryo Tatsuki : હાલો મિત્રો, અત્યારે જૂન 2025 ચાલી રહ્યો છે અને તમે જ્યાં જુઓ ત્યાં દુર્ઘટના અને દુઃખદ સમાચાર આવી રહ્યા છે, હવે આવનારો જુલાઈ મહિનાના લઈને પણ એક ભયજનક ભવિષ્યવાણી ચર્ચામાં છે એવી આગાહી કરવામાં આવી રહી છે કે 5 જુલાઈ 2025ના રોજ વિશ્વભરમાં મહાપ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. તો ચાલો જાણીએ શું છે હકીકત!
Ryo Tatsuki Prediction
શું છે આ ભવિષ્યવાણી?
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિચિત્ર અને ભયજનક ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2025માં મહાપ્રલય આવશે, અને પાંચમી 5 જુલાઈ 2025 ના રોજ વિશ્વમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી શક્યતા છે. આ ભવિષ્યવાણી બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો “પ્રલય”, “વિશ્વનો અંત”, “જાપાન ભૂકંપ” જેવા કીવર્ડ્સ Google પર ખૂબ સર્ચ કરી રહ્યા છે.
આ ડરનું કારણ એક રહસ્યમય જાપાની મંગા કલાકાર રયો તત્સુકી (Ryo Tatsuki) દ્વારા એક પુસ્તકમાં કરવામાં આવેલી એક ચોંકાવનારી ભવિષ્યવાણી છે. લોકો રયો તત્સુકીને આધુનિક સમયના બાબા વેંગા કહી રહ્યા છે, કારણ કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
કોણ છે રયો તત્સુકી? (Ryo Tatsuki)
આ ભવિષ્યવાણી કરનાર છે રયો તત્સુકી જે જાપાનના રહેવાસી છે અને પોતાની “વિજ્ઞાન આધારિત ભવિષ્યવાણીઓ” માટે સોશિયલ મીડિયા પર ઓળખાતા રહ્યા છે. તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા 1999 માં કરવામાં આવેલી 2011 ના જાપાની ભૂકંપ અને સુનામીની આગાહીની થઈ રહી છે. આ કુદરતી આફતે જાપાનને હચમચાવી નાખ્યું હતું.
5 જુલાઈના આવશે તબાહી…
તેમણે દાવો કર્યો છે કે 5 જુલાઈ 2025ના રોજ જાપાનમાં વિનાશક ભૂકંપ અને સુનામી આવી શકે છે. આ ભવિષ્યવાણી TikTok, Instagram અને YouTube Shorts પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે 5 જુલાઈ અંગે કરવામાં આવેલી આગાહીને કારણે લોકો ભય અનુભવી રહ્યા છે. જોકે ર્યો તાત્સુકીએ તેમના પુસ્તકમાં આ આપત્તિ શું હશે તે સ્પષ્ટ કર્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આ આપત્તિને વિનાશક ભૂકંપ કે સુનામી માની રહ્યા છે. એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આ બંને કારણો આપત્તિનું કારણ હોઈ શકે છે.
ટુરિસ્ટ પણ જાપાનથી દૂર રહી રહ્યા છે!
રયો તત્સુકીની ભવિષ્યવાણીને કારણે પ્રવાસીઓ જાપાનથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. વિશેષ જાણકારી પ્રમાણે, લોકો જાપાનના પ્રવાસની યોજના રદ કરી રહ્યા છે. કેટલાક એજન્ટો અને ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ, ભવિષ્યવાણીના કારણે જાપાન તરફના ટુરિસ્મમાં ઘટાડો થયો છે.
આ શું ખરેખર સાચું છે?
હાલ સુધી કોઈ સાયન્ટિફિક એજન્સી કે સત્તાવાર સંસ્થા દ્વારા આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. NASA કે JMA (Japan Meteorological Agency) એ પણ આવી કોઈ આગાહી સ્વીકારેલી નથી. આ માત્ર એક અફવા પણ બની શકે છે. અફવાઓ પર ધ્યાન ન આપશો. અફવાઓને આગળ ફેલાવવાનું ટાળો અને તટસ્થ રહો.
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. યોજનાને લગતી માહિતી, હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. Ryo Tatsuki ની ભવિષ્યવાણી વિષે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!