Monsoon Gujarat : આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદની આગાહી: જાણો અંબાલાલ પટેલની ભયંકર ચેતવણી!

By Jay Vatukiya

Published on:

Monsoon Gujarat

Monsoon Gujarat : પાંચ દિવસ પહેલા 16 જૂન રવિવાના રોજ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગમન થઈ ગયું છે, મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. આ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે ગઈકાલ સાંજ પછી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો, પરંતુ આજે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયા છે.

Monsoon Gujarat

સૂર્ય આદ્રા નક્ષત્ર આવવાથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 24 થી 30 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં વહેતા પ્રવાહને કારણે ગુજરાતમાં વ્યાપક ભારે વરસાદ થશે. ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

આવી સ્થિતિમાં, પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી રાજ્યમાં ફરીથી વરસાદી વાતાવરણનો અનુભવ થશે. આદ્રા નક્ષત્ર દરમિયાન સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં.

જેમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત, મહિસાગર, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને ઝાપટા પડશે.

હવામાન વિભાગની આગાહી

બીજી તરફ, હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ચક્રવાતી પરિભ્રમણ ગુજરાત ઉપર આવી ગયું છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં 22 જૂન સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ થશે. ખાસ કરીને 22 જૂનથી 30 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભયંકર વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નર્મદા, ડાંગ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : PM Kisan Yojana : ખેડૂતોના ખાતામાં 2000ને બદલે આવશે 4000 રૂપિયા, અત્યારે જ જાણો કે ડબલ પૈસા ક્યાંથી મળશે.

FAQs

Q: આદ્રા નક્ષત્ર ક્યારે શરૂ થાય છે?
A: 22 જૂનના દિવસે આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે.

Q: અંબાલાલ પટેલે શું આગાહી કરી છે?
A: તેમણે આદ્રા નક્ષત્ર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

Q: વરસાદ ક્યાં વિસ્તારોમાં વધુ પડશે?
A: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે.

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. યોજનાને લગતી માહિતી, હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. તમારા વાવણી લાયક વરસાદ થયો કે નહીં કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close