Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું: 242 મુસાફરોના મોતની આશંકા - Gujviral.com Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું: 242 મુસાફરોના મોતની આશંકા - Gujviral.com

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું: 242 મુસાફરોના મોતની આશંકા

By Jay Vatukiya

Published on:

Ahmedabad Plane Crash
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતું ડ્રીમલાઇનર 787 એરપોર્ટ નજીક ક્રેશ થયું, મેઘાણીનગર વિસ્તારમાં આગ અને ધુમાડા વચ્ચે રાહત કામગીરી ચાલુ.

Ahmedabad Plane Crash : અમદાવાદ, વિમાને 1.38 વાગ્યે ઉડાન ભરી અને 1.40 વાગ્યે એક ઇમારત સાથે અથડાયું. લંડનની ફ્લાઇટ હોવાથી, તેમાં બળતણ ભરેલું હતું, જેના કારણે મોટી જાનહાનિ થઈ. 12 જૂન – આજે બપોરે અમદાવાદમાં એક ખૂબ જ દુઃખદ અને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયા બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાને ઉડાન દરમિયાન અચાનક કાબુ ગુમાવ્યો અને એરપોર્ટ સીમા નજીક એક ઇમારત સાથે અથડાઈ ગયું.

આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. અને અગાઉ મળેલી માહિતી મુજબ, તે બધાના મૃત્યુ થયાની આશંકા છે. અકસ્માતની સાથે જ આ વિસ્તારના મેઘાણીનગર વિસ્તારમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. વિમાનના ઘણા ભાગો બળીને રાખ થઈ ગયા છે અને આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન થયું છે.

વિમાન દુર્ઘટના બાદ, શહેર વહીવટીતંત્ર અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા છે. ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે અને સિવિલ હોસ્પિટલના તમામ ડોકટરોને તાત્કાલિક ફરજ પર બોલાવવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ છે અને રાહત કાર્ય રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

આ પણ જુઓ : ખેડૂતો માટે આનંદના સમાચાર: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ તારીખે ખાતામાં જમા થશે?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close