Monsoon Trip : ગુજરાતમાં ચોમાસાની ઋતુ ફક્ત વરસાદ માટે જ નહીં, પણ પ્રકૃતિનો આનંદ માણવા માટે પણ બેસ્ટ છે. આ ઋતુ દરમિયાન પર્વતો લીલાછમ થઈ જાય છે, ઝરણા વહેવા લાગે છે અને તળાવો પાણીથી છલકાઈ જાય છે. જો તમે પણ ચોમાસાનો આનંદ માણવા માંગતા હોય તો આજે તમને એવા પાંચ સ્થળોની માહિતી આપીશ. જે પ્રવાસ યાદગાર બની જશે. તો ચાલો જાણીએ આ સ્થળો વિશે પુરી જાણકારી.
Monsoon Trip : ગુજરાતની ફરવા લાયક 5 જગ્યાઓ
સાપુતારા હિલ સ્ટેશન – દક્ષિણ ગુજરાતનું ભવ્ય હિલ સ્ટેશન
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ચોમાસા દરમિયાન, અહીંનું તાપમાન ખૂબ જ હળવું હોય છે અને તાજી હવા, ધુમ્મસવાળું વાતાવરણ અને મનોહર દૃશ્યો હોય છે.
ખાસ આકર્ષણો: સર્પગંગ તળાવ, સાઈ મંદિર, રોઝ ગાર્ડન, ગિરમંગ વ્યૂપોઇન્ટ
પ્રવેશ સમય: મોટાભાગના પ્રવાસીઓ સપ્ટેમ્બર સુધી આવે છે
ખાસ કેમ: ચોમાસા દરમિયાન, સાપુતારા ખીણો પર ધુમ્મસ અને વરસાદ એક મનમોહક દૃશ્ય બનાવે છે.
ઝરવાણી ધોધ – નર્મદા નજીક એક છુપાયેલો ખજાનો
નર્મદા જિલ્લામાં આવેલો ઝરવાણી ધોધ એક સુંદર કુદરતી ધોધ છે જે ચોમાસા દરમિયાન વહે છે. અહીંનો રસ્તો જંગલથી ઢંકાયેલો છે, જે સાહસ પ્રેમીઓ માટે એક મનોરંજક ટ્રેકિંગ સ્થળ છે.
ખાસ આકર્ષણો: ઝરવાણી ધોધ, શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય
પ્રવેશ પાસ : ફરજિયાત – ગુજરાત સરકારની વેબસાઇટ પરથી ઇ-કેમ્પિંગ
ખાસ કેમ : અહીંનું વાતાવરણ સ્ફટિકીય સ્વચ્છ પાણી, વન્યજીવન અને હળવા પવનથી મોહક છે.
પોલો ફોરેસ્ટ – વન્યજીવન અને શાંતિનો છુપાયેલો ખજાનો
અમદાવાદથી 160 KM ના અંતરે પોલો ફોરેસ્ટ આવેલું છે. જે ચોમાસાની ઋતુ પછી પોલો ફોરેસ્ટ અને પર્વતો લીલાછમ થઈ જાય છે. અહીંના ઝરણાઓ અને ધીમા પવનોથી અગલ જ કુદરતી પ્રકૃતિનો અનુભવ થાય છે. અહીંની શાંતિ અને કુદરતને નજીકથી માણવા માટે અનેક લોકો દર વર્ષે આવતા હોય છે.
ખાસ આકર્ષણો : હરણ, નિલગાય અને ઘણી વન્ય પ્રજાતિઓ અને ગઢ, જૂના મહેલના અવશેષ
પ્રવેશ પાસ : વન વિભાગની પરમિશન લઈને કેમ્પિંગ કરો
ખાસ કેમ : ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે શ્રેષ્ઠ સ્થાન
જૂનાગઢ – ગિરનાર પર્વત
કુદરત અને ઈતિહાસનો સંગમ એટલે જૂનાગઢ. જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત ચોમાસા દરમિયાન વાદળોથી ઢંકાયેલો રહે છે જે એક રોમેન્ટિક અને આધ્યાત્મિક અનુભવ આપે છે. અહીં ગિરનાર પર્વત, ઉપરકોટ કિલ્લો અને ભવનાથ મંદિર અને સકર બાગ જેવી અનેક જગ્યાઓ જોવા લાયક છે.
ખાસ આકર્ષણો : ગીરનાર પર્વત અને કિલ્લાઓ જોવા લાયક છે. દત્તાત્રય શિખર ઉપર ધુમ્મસ અને વાદળોની મઝા
પ્રવેશ સમય: મોટાભાગના પ્રવાસીઓ જુલાઈ- ઓગસ્ટમાં અને સપ્ટેમ્બર મહિનામાં આવે છે.
ખાસ કેમ : પર્વતારોહણ માટે બેસ્ટ જગ્યા
અંબાજી અને ગબ્બર પર્વત – ધાર્મિક યાત્રા સાથે કુદરતી નજરો
ગુજરાતમાં અંબાજી મંદિર જાણીતું છે, પણ ચોમાસામાં ગબ્બર પર્વતની પૃષ્ઠભૂમિ તેના શિખરો લીલી થઈ જાય છે. અહીંથી પહાડો, વાદળો અને કુદરત એકસાથે મળીને આસ્થાને શાંતિમાં પરિવર્તિત કરે છે.
ખાસ આકર્ષણો : જાણીતું અંબાજી મંદિર અને ગબ્બર પર્વત ટ્રેકિંગ માટે આકર્ષણનું કેન્દ્ર
બેસ્ટ સમય: ઓગસ્ટ થી સપ્ટેમ્બર
ખાસ કેમ : ધાર્મિક મંદિર અને પર્વતનો અજોડ અનુભવ