ગુરુવાર, 12 જૂન, 2025 ના રોજ બપોરે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર ટેકઓફ થયાના થોડીવાર પછી જ ક્રેશ થયું. તેમાં સવાર 242 મુસાફરોમાંથી ફક્ત એક જ મુસાફર જીવિત હોવાનું જાણવા મળ્યું છે.
વિમાનમાં કેટલા મુસાફરો હતા?
વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, 7 પોર્ટુગીઝ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે મીડિયાને જણાવ્યું હતું કે, “આ વિમાન દુર્ઘટનામાં, પોલીસ કર્મચારીઓને સીટ નંબર 11C પર એક મુસાફર જીવતો મળ્યો છે.” પ્રાથમિક માહિતી અનુસાર, બચી ગયેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તે હાલમાં સારવાર હેઠળ છે.
રમેશ વિશ્વાસ કુમાર આપવીતી:
વિશ્વાસ કુમાર રમેશે પોતાની આપવીતી જણાવતા કહ્યું, “ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી, એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા.” તેમણે ઉમેર્યું, “હું ડરી ગયો અને ભાગી ગયો. વિમાનના ટુકડા મારી આસપાસ વિખરાયેલા હતા.”
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તે ઉઠ્યો અને ચાલવા લાગ્યો, ત્યારે ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા.
કેટલી ટિકિટ હતી?
માહિતી મુજબ, આ આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટ સસ્તી નહોતી. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ માટે મુસાફરોએ હજારોથી લાખો રૂપિયા ખર્ચ્યા હતા. ઇકોનોમી ક્લાસનું ભાડું ₹56,000 થી શરૂ થાય છે. લોકોએ બિઝનેસ ક્લાસ સીટ માટે ₹96,000 થી ₹1.5 લાખ સુધી ચૂકવણી કરી હતી, જ્યારે પ્રીમિયમ ઇકોનોમી ક્લાસનું ભાડું ₹89,000 થી ₹90,000 અને ફર્સ્ટ ક્લાસનું ભાડું ₹4,64,000 થી ₹5 લાખ સુધી હતું. આ અકસ્માત માત્ર વિમાન દુર્ઘટના નહીં પણ સેંકડો સપના ચકનાચૂર થવાની ઘટના બની ગઈ છે.
આ પણ જુઓ : Why Planes Crash : વિમાન દુર્ઘટના પાછળના કારણો શું છે? અહીં 4 મુખ્ય કારણો જાણો
જુઓ વાયરલ વીડિયો 👇👇👇
https://www.instagram.com/reel/DKzpXh0yIvX/?igsh=MTZ2emhmc3V1ajl0aA==