Gujarat Rain : આજે 11 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

By Jay Vatukiya

Published on:

Gujarat Rain
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain : ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. IMD ની નવીનતમ આગાહી મુજબ, રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારો માટે યલો અને ઓરેંજ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને તેની કેવી અસર થશે.

Gujarat Rain

આજે ક્યાં વરસાદની આગાહી

આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેથી, રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

આવતીકાલે ઉત્તર ગુજરાત તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરમાં છૂટાછવાયા સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાક પવનની ગતિએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત માટે આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ્સ એક સાથે સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે કહ્યું કે 8 થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમ ચોમાસું બેસશે, રાજ્યમાં 15 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. કારણ કે આ સમય દરમિયાન, રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું સ્તર ઘટતાં આ પ્રક્રિયા થશે. ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે સારી શરૂઆત પછી ચોમાસું નબળું પડી જશે.

આ પણ જુઓ : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close